આવતીકાલે રાજ્યની તમામ શાળાઓ ચાલુ રાખવા શિક્ષણ વિભાગે કર્યો આદેશ

0
254

  • આવતીકાલે રાજ્યની તમામ શાળાઓ ચાલુ રાખવા શિક્ષણ વિભાગે કર્યો આદેશ

આવતીકાલે વડાપ્રધાન અખિલ ભારતીય શિક્ષા સમાગમનું કરશે ઉદ્ધાટન

9 થી 12 સુધી તમામ શાળાઓમાં કાર્યક્રમ દર્શાવવા કરાયો પરિપત્ર

આવતીકાલે મુસ્લિમ બિરાદરોનો પવિત્ર તહેવાર મોહરમ પર્વની આનંદ ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવતી હોય છે. આવતીકાલે મોહરમનો તહેવાર હોવાથી અનેક સ્કૂલોમાં રજા જાહેર કરાઈ હતી.
પરંતું આવતીકાલે કેન્દ્ર સરકાર દ્વારા શાળાઓ ચાલુ રાખવા નોટીફિકેશન બહાર પાડ્યું છે.

તેમાં આવતીકાલે શાળાઓ ચાલુ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આવતીકાલે નવી શિક્ષણ નીતિનાં 3 વર્ષ પૂર્ણ થતા હોઈ વડાપ્રધાન દ્વારા અખિલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. જેને લઈને 9 થી 12 સુધી તમામ શાળાઓમાં આ કાર્યક્રમ દર્શાવવા માટે પરિપત્ર કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here