
પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસની આગામી ભારત જોડો યાત્રાને લઈને મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે અને કહ્યું છે કે, આ યાત્રા 14 જાન્યુઆરીથી શરૂ થશે. કોંગ્રેસ ચીફ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાને સમર્થનની અપીલ કરી હતી અને કહ્યું હતું કે, તમે અમને સમર્થન આપો નહીં તો અમે બરબાદ થઈ જઈશું. તમે અમારા ઓક્સિજન છો.
https://twitter.com/kharge/status/1743524147303776385?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1743524147303776385%7Ctwgr%5E06950cc22173bd2ccec6706bdd9de901568b3901%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું કે, 14 જાન્યુઆરીથી શરૂ થનારી આ ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરથી શરૂ થશે અને 15 રાજ્યોમાંથી પસાર થશે.
કોંગ્રેસની આગામી ભારત જોડો ન્યાય યાત્રા પહેલા પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોટી અપીલ કરી છે. કોંગ્રેસ ચીફ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાને સમર્થનની અપીલ કરી હતી અને કહ્યું હતું કે, તમે અમને સમર્થન આપો નહીં તો અમે બરબાદ થઈ જઈશું. તમે અમારા ઓક્સિજન છો. ભારત જોડો ન્યાય યાત્રા વિશે માહિતી આપતા કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું કે, 14 જાન્યુઆરીથી શરૂ થનારી આ ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરથી શરૂ થશે અને 15 રાજ્યોમાંથી પસાર થશે. આ દરમિયાન ખડગેએ ભારત જોડો ન્યાય યાત્રાનો લોગો અને સ્લોગન બહાર પાડ્યું હતું.

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ઈન્ડિયા એલાયન્સના તમામ સહયોગીઓને પણ સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, જ્યાં પણ શક્ય હશે તેઓ જોડાશે. અહીં તમને જણાવી દઈએ કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આ માર્ચનું નેતૃત્વ કરશે. આ યાત્રાનું નામ છે ‘ભારત જોડો ન્યાય યાત્રા’, જે દેશના કુલ 15 રાજ્યોમાંથી પસાર થશે. આ દરમિયાન રાહુલ ગાંધી અને કોંગ્રેસની ટીમ 6700 Km પગપાળા પ્રવાસ કરશે. કહેવામાં આવ્યું હતું કે, સૌથી લાંબી યાત્રા ઉત્તર પ્રદેશમાં થશે, જ્યાં રાહુલ 1074 Kmની મુસાફરી કરશે. આ સમયગાળા દરમિયાન તેઓ 11 દિવસમાં રાજ્યના 20 જિલ્લાઓને આવરી લેશે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે કહ્યું કે, તેઓ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપશે કે કેમ તે અંગે ‘ખૂબ જ જલ્દી’ નિર્ણય લેશે. ખડગે અને પૂર્વ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. કોંગ્રેસે અગાઉ કહ્યું હતું કે, સમારોહમાં હાજરી આપવા અંગેના તેના નિર્ણયની ‘યોગ્ય સમયે’ જાણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, મને આમંત્રણ મળ્યું છે. PM નરેન્દ્ર મોદીના ભૂતપૂર્વ મુખ્ય સચિવ (મંદિર) ટ્રસ્ટના સચિવ સાથે આવ્યા હતા. તેમણે મને આમંત્રણ આપ્યું છે. આ અંગે હું બહુ જલ્દી નિર્ણય લઈશ.
કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરીએ મણિપુરના ઇમ્ફાલથી બપોરે 12.30 કલાકે શરૂ થશે. મણિપુર પછી, તે નાગાલેન્ડ, પછી આસામ, અરુણાચલ પ્રદેશ અને પાછા આસામ થઈને મેઘાલયમાં પ્રવેશ કરશે. ભારત જોડો ન્યાય યાત્રા ત્યાર પછી બંગાળ અને પછી બિહાર, ઝારખંડ, ઓડિશા અને પછી ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર પણ જશે. આ યાત્રા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા INDIA ગઠબંધનના તમામ પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
ક્યાં અને કેટલા દિવસની મુસાફરીઃ બંગાળમાં 5 દિવસ અને 7 જિલ્લા, બિહારમાં 4 દિવસ અને 7 જિલ્લા, ઝારખંડમાં 8 દિવસ અને 13 જિલ્લા, છત્તીસગઢમાં 536 Km, 5 દિવસ અને 7 જિલ્લા, ઉત્તર પ્રદેશમાં 1074 Km, 11 દિવસ રહેશે અને 20 જિલ્લા, રાજસ્થાનમાં 128 Km, 1 દિવસ અને 2 જિલ્લા.






