સાઈ સેવા સહયોગ ગ્રુપ આવધા દ્વારા સાકાર વાંચન કુટીર આવધાના સ્થાપના દિવસ તથા સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ સાકાર વાંચન કુટીર આવધા મુકામે યોજાયો.

On: January 13, 2022 9:46 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

Rainbow warriors Dharampur ગ્રુપ તથા સાઈ સેવા સહયોગ ગ્રુપ આવધા દ્વારા સાકાર વાંચન કુટીર આવધાના સ્થાપના દિવસ તથા સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ સાકાર વાંચન કુટીર આવધા મુકામે યોજાયો.

શ્રીમાન હિતેન ભૂતા સર , સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તથા ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ વલસાડના સહયોગથી ધરમપુર તાલુકાના આવધા ગામે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયાર કરતાં યુવાન યુવતીઓ માટે ઉપયોગી જરૂરી સાહિત્ય ઉલબ્ધ કરાવવા માટે સાકાર વાંચન કુટીર બનાવવામાં આવેલ છે

જેનો સ્થાપના દિવસ 12ની જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જયંતિ હોય આ દિને સાકાર વાંચન કુટીરના સ્થાપના દિવસ તથા સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ તથા યુવાઓને માર્ગદર્શન કાર્યક્રમનું ઉદઘાટન ડૉ.દોલતભાઈ દેસાઈ( સ્વામી વિવેકાનંદ હોસ્પિટલ ધરમપુર)ના હસ્તે કરવામાં આવ્યું.

ડૉ દોલતભાઈ દેસાઈ સાહેબે સ્વામી વિવેકાનંદજી જીવન પ્રસંગો ઝાંખી કરાવી યુવાનોને દેશના વિકાસ માટે પોતાનું યોગદાન આપવા હાકલ કરી હતી. મરઘમાળના સરપંચ રજનીકાંત પટેલે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તથા Rainbow warriors Dharampur ગ્રુપની કામગીરીને બિરદાવી ગ્રુપના સૌ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. ગામના મેકેનીકલ એન્જિનિયર તથા ગ્રામ પંચાયતના સભ્ય એવા દિનેશભાઈ કુંવરે યુવાનો તથા વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદજીના વધુ માં વધુ પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ એમ જણાવ્યું હતું. ગામના આગેવાન વિજયભાઈ દળવીએ સાકાર વાંચન કુટીરની ઉપયોગિતા વિશે સમજ આપી સાકાર વાંચન કુટીર આવધા ગામના યુવાનો માટે આશિર્વાદ બનશે એવો વિશ્વાસ વ્યક્ત કરી ગામના વધુ માં વધુ યુવાનોને વાંચન કુટીરનો લાભ લેવા જણાવ્યું હતું.
આ પ્રસંગે આગામી મકરસંક્રાંતિ નિમિત્તે ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ વલસાડ તરફથી સમાજમાં દેહદાન અંગદાન તથા નેત્રદાન અંગે જાગૃતિના સંદેશ વાળી પતંગનું વિતરણ બાળકોને કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉદયભાઈ (દીપ ઝેરોક્ષ ધરમપુર ) પ્રગનેશભાઈ વસાણી (એડવોકેટ) , હિરેનભાઈ પટેલ Rainbow warriors ગ્રુપના સભ્યો ઉમેશ પટેલ , અંકિત પટેલ, મિત્યાંગ પટેલ, જીગુ નાયકા, મનિષ પટેલ , મેહુલ નાયકા, નિરવ પટેલ તેજસ પટેલ , જીગાભાઈ પટેલ, વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
કાર્યક્રમ માં ભોજનની વ્યવસ્થા માટે આવધા ગામના યુવાનો તથા આગેવાનો એ સહયોગ આપ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન Rainbow warriors Dharampur ગ્રુપના કો. ઓર્ડીનેટર તથા આવધા પ્રા.શાળા ના શિક્ષક શંકરભાઈ પટેલ તથા rainbow warriors Dharampur ગ્રુપના સભ્યો, સાંઈસેવા સહયોગ ગ્રુપ આવધાના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધોડિયા પટેલ સમાજ માટે મહત્વપૂર્ણ પહેલરૂપે વર્ષ ૨૦૨૬માં પ્રથમ વખત વિધવા–વિધુર, ત્યક્તા તેમજ છૂટાછેડાથી વિખૂટા થયેલ પાત્રો માટે સ્નેહમિલન

વલસાડના વાંકલમાં ૪૦માં મહાશિવરાત્રિ મહોત્સવ, પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં ૩૧ ફુટ રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ

સુખાલા સાંઈ ધામ ગાર્ડનમાં પૂ. શરદભાઈ વ્યાસ (દાદા)ની પ્રેરણાથી સમભાવ સત્સંગ પરિવાર દ્વારા ૫૧ દીકરીઓનો ૧૨મો સમૂહ લગ્ન મહોત્સવ સમરસતા, સેવા અને સંસ્કારના સંદેશ સાથે ભવ્ય રીતે યોજાયો

શિવ મહાપુરાણ માત્ર પૌરાણિક કથાઓનો સંગ્રહ નથી, પરંતુ માનવજીવનને ઉત્તમ માર્ગ પર દોરી જનાર ભક્તિના પાયલટ તત્ત્વોનો જીવંત સંદેશ છે : ભૂદેવશ્રી જયેશભાઈ જોષી (બાપુજી)

ભાદરવી પૂનમના પાવન દિવસે ઉનાઈ માતા મંદિરે પ્રફુલભાઈ શુક્લાના હસ્તે ધ્વજારોહણ !

જગત જનની – હે જંગદંબા તારોજ એક આધાર – પ્રફુલભાઈ શુકલ

error: Content is protected !!