વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે કવિ ક્રિષ્નભાઈ દવેએ કપરાડાની આદિવાસી દીકરીઓ સાથે વિશેષ કાર્યક્રમ યોજ્યો !

On: February 22, 2025 9:09 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે કવિ અને ગઝલકાર ક્રિષ્નભાઈ દવેએ કપરાડાની આદિવાસી દીકરીઓ સાથે એક વિશેષ કાર્યક્રમ યોજ્યો, જે માતૃભાષાની મહત્તાને ઉજાગર કરતો સંસ્મરણિય પ્રસંગ બન્યો.

અંતરિયાળ વિસ્તારમાં કાવ્યપ્રેમનું ઉજાસ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ માટે સંઘર્ષ કરી રહેલી આદિવાસી દીકરીઓ માટે વિશ્વ માતૃભાષા દિવસ એક ઉર્જાસભર કાર્યક્રમ બની રહ્યો. આનંદ નિકેતન એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલ, ગુંજન વિદ્યાલય ગિરનારા અને શબરી કન્યા છાત્રાલય કપરાડામાં યોજાયેલા આ કાર્યક્રમમાં કવિ ક્રિષ્નભાઈ દવેની ઉપસ્થિતિએ જુસ્સો વધાર્યો.

બાળકોના મૌખિક સાહિત્ય પ્રેમની ઉજવણી
ક્રિષ્નભાઈ દવેએ બાળકોની સાહિત્ય પ્રત્યેની ભાવના જોઈ ગદગદ થયા. તેમણે જણાવ્યું કે આ દીકરીઓના ગળામાં રણકો છે, એ લોકો કુદરતી રીતે જ મીઠા સૂરમાં ગાઈ શકે છે. તેઓએ જુદા જુદા કાવ્યપ્રયોગો અને ગીતો દ્વારા દીકરીઓમાં સાહિત્ય અને કવિતાના પ્રત્યેનો પ્રેમ જગાવવાનો પ્રયત્ન કર્યો. બાળકો પણ ઉમંગભેર આમાં જોડાયા અને કવિતાઓ સાથે સંગીતમય વાતાવરણ ઉભું કર્યું.

કુદરતી સૌંદર્યનો સંગમ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી માત્ર સાહિત્યિક પ્રવૃત્તિઓ પૂરતી મર્યાદિત ન રહી, પણ ગિરનારા ગામે સૌંદર્યમય સૂર્યાસ્તના નજારાની મધુર અનુભૂતિ પણ બાળકો સાથે કરી. કુદરત અને કાવ્ય વચ્ચે એક અદભૂત સંબંધ રચાયો, જ્યાં કવિતાઓ અને ગઝલોની ગૂંજ પ્રકૃતિની શાંતિમાં ભળી ગઈ.

વિદ્વાનોની ઉપસ્થિતિએ વધેલી શોભા
આ કાર્યક્રમમાં પૂર્વ પ્રિન્સિપાલ મોટાપોઢા કોલેજ બી.એન. જોશી, સાહિત્યકાર વસંતભાઈ પાઠક અને સી.આર.સી. મહેશભાઈની હાજરી આપી માતૃભાષાના મહત્ત્વ પર વાત કરતા કહ્યું કે આપણી ભાષા માત્ર સંવાદનું માધ્યમ નથી, પણ સંસ્કૃતિ અને ઓળખનો પ્રાણ છે.

આ પ્રેરણાદાયી કાર્યક્રમ બાળકો માટે જ નહીં, પરંતુ સાહિત્યપ્રેમીઓ માટે પણ યાદગાર રહ્યો. માતૃભાષાની સુંદરતા અને સાહિત્યના માધ્યમથી તેનુ જતન કરવાનું સંકલ્પ આ પ્રસંગે વધુ મજબૂત બન્યો.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!