દક્ષિણ ગુજરાતના આદિવાસી ક્ષેત્રમાં ધરમપુરના ખાંડા ગામે મોરારીબાપુની 934મી રામકથાનું ભવ્ય અયોજન

On: April 2, 2024 8:05 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સત્ય – પ્રેમ અને કરુણાનો વૈશ્વિક સંદેશ આપનાર સૌના પ્રિય મોરારીબાપુ રામચરિતમાનસનું ગાન કરવા સંવેદના અને સ્વીકારની પીઠિકા લઈને ખાંડા ગામમાં પધારી રહ્યા છે.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખાંડા કથાકાર મોરારીબાપુની 934મી રામકથા યોજાવાની છે. આગામી 9મી એપ્રિલ 2024થી પ્રારંભ થનારા હોય આ કથાની વિશેષતા અંગે કથાકાર શ્રી આસિષભાઈ વ્યાસ ધરમપુર દ્વારા તેમજ જિલ્લાના લોકો કથા અંગે માહિતગાર થાય તેવા ઉદેશથી ધરમપુર તાલુકાના અંતરિયાળ આદિવાસી ક્ષેત્રના ગામ ખાંડામાં રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. પૂ. મોરારી બાપુ દ્વારા રામકથા ધરમપુર-કપરાડા વિસ્તારમાં પ્રથમ વખત થવા જઈ રહી છે.

સત્ય – પ્રેમ અને કરુણાનો વૈશ્વિક સંદેશ આપનાર સૌના પ્રિય મોરારીબાપુ રામચરિતમાનસનું ગાન કરવા સંવેદના અને સ્વીકારની પીઠિકા લઈને ખાંડા ગામમાં પધારી રહ્યા છે. ખાંડા ગામ ધરમપુર તાલુકા (જિ. વલસાડ)ના અંતરિયાળ વિસ્તારમાં પૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે.ચૈત્ર નવરાત્રિના પાવન દિવસોમાં તા. 9મી એપ્રિલ 2024, મંગળવારથી તા. 17મી એપ્રિલ 2024, બુધવાર દરમિયાન (નવ દિવસ) રામકથાનું ગાન ખાંડા ગામની ભૂમિ પર મોરારીબાપુ કરશે. રામકથાના પ્રથમ દિવસ તા. 9મી એપિલ 2024ના દિવસે સાંજે 4-00 કલાકે રહેશે. જ્યારે તા. 10-04-2024 થી તા. 17-04-2024ના રામકથાની સમય સવારે 10 થી 1 નો રહેશે. રામકથા દરમિયાન પ્રભુપ્રસાદ (ભોજન)ની વ્યવસ્થા રાખેલ છે. સૌને કથાશ્રવણ કરવા અને પ્રભુપ્રસાદ લેવા હાર્દિક નિમંત્રણ છે.2019 પછી કોરોના અને અન્ય કારણોના લીધે કથાનું આયોજન લંબાયું હતું એ રામકથાનો પ્રેમયજ્ઞ ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામ ખાંડામાં તા. 09 એપ્રિલ થી 17 એપ્રિલ, 2024 ચૈત્ર નવરાત્રી દરમિયાન થવા જઈ રહ્યો છે. મોરારી બાપુ ખાંડા ગામમાં જ નવ દિવસ રોકાશે અને સૌને પ્રેમથી મળશે.તુલસીકૃત રામાયણની પંક્તિ છે કે, “રામ હી કેવળ પ્રેમ પિયારા’ એ નાતે રામકથાનો પ્રેમયજ્ઞ યોજાયો છે ત્યારે સૌના પ્રિય મોરારીબાપુના શ્રીમુખે યોજાયેલ રામકથામાં પધારવા આયોજકોએ સૌને ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે.

Ad.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વલસાડના વાંકલમાં ૪૦માં મહાશિવરાત્રિ મહોત્સવની ભવ્ય તૈયારી : શિવ કથાકાર પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં ૩૧ ફૂટ ઊંચું વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ બનશે

વલસાડના વાંકલમાં ૪૦માં મહાશિવરાત્રિ મહોત્સવ, પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં ૩૧ ફુટ રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ

સુખાલા સાંઈ ધામ ગાર્ડનમાં પૂ. શરદભાઈ વ્યાસ (દાદા)ની પ્રેરણાથી સમભાવ સત્સંગ પરિવાર દ્વારા ૫૧ દીકરીઓનો ૧૨મો સમૂહ લગ્ન મહોત્સવ સમરસતા, સેવા અને સંસ્કારના સંદેશ સાથે ભવ્ય રીતે યોજાયો

શિવ મહાપુરાણ માત્ર પૌરાણિક કથાઓનો સંગ્રહ નથી, પરંતુ માનવજીવનને ઉત્તમ માર્ગ પર દોરી જનાર ભક્તિના પાયલટ તત્ત્વોનો જીવંત સંદેશ છે : ભૂદેવશ્રી જયેશભાઈ જોષી (બાપુજી)

ભાદરવી પૂનમના પાવન દિવસે ઉનાઈ માતા મંદિરે પ્રફુલભાઈ શુક્લાના હસ્તે ધ્વજારોહણ !

જગત જનની – હે જંગદંબા તારોજ એક આધાર – પ્રફુલભાઈ શુકલ

error: Content is protected !!