સાચા અર્થમાં આદિવાસી હોવું: સંસ્કૃતિનો આંતરિક સ્વીકાર !

On: May 21, 2025 9:34 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

આજના સમયમાં જ્યારે પરંપરાગત જીવનશૈલી અને સંસ્કૃતિથી દૂર જવાની દિશામાં સમાજ આગળ વધી રહ્યો છે, ત્યારે આદિવાસી તરીકે પોતાની ઓળખ બનાવી રાખવી એ એક મોટી પડકારરૂપ બાબત બની ગઈ છે. ઘણા લોકો લગ્ન જેવા પ્રસંગોમાં કે ખાસ તહેવારોમાં ફક્ત પરિધાન, વાદ્યયંત્રો, નૃત્ય આદિવાસી તરીકે પોતાની ઓળખ બતાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ એ માત્ર દેખાવ સુધી સીમિત છે. આદિવાસી હોવું એ કોઈ ડ્રેસ કોડ, ગીત કે નૃત્ય નહીં, પણ જીવનની એક સંપૂર્ણ પદ્ધતિ છે – જે ઘરના સંસ્કારોથી શરૂ થાય છે.

આદિવાસી સમાજની ખાસિયતોમાં જોડાણ, સહકાર, કુદરત સાથે એકતા અને જીવનના દરેક પાસામાં પરંપરાગત રીતે જીવી લેવાની શક્તિ છે. પિતૃસત્તાક કે માતૃસત્તાક પદ્ધતિમાં વિવાહ, જન્મ, મૃત્યુ વગેરે પ્રસંગોમાં જે રીતિ-રિવાજો છે, તે માત્ર ઉછાળો નહીં પરંતુ જીવનશૈલીના આયામ છે. દરેક રિવાજ પાછળ કોઈ-ને-કોઈ તાર્કિક, સામાજિક કે આધ્યાત્મિક કારણ હોય છે, જે પેઢીથી પેઢી સુધી જળવાયેલું છે.

આજના યુવાઓમાં એક ચળવળ જોવા મળે છે કે તેઓ ખાસ પ્રસંગોએ આદિવાસી કપડાં પહેરીને કે તીખા વાળ રાખીને ફોટા પાડે છે, reels બનાવે છે, અને તાંબીલા વગાડીને પોતાની ઓળખ દર્શાવે છે. પરંતુ જો એ જ યુવાઓ પોતાનાં ઘરમાં માતા-પિતા સાથે આદિવાસી ભાષામાં સંવાદ કરતા નથી, પોતાના પૂર્વજોની ભૂમિકા સમજતા નથી, કે તેમના સંસ્કારોથી દૂર રહે છે, તો આદિવાસી હોવાનો દેખાવ માત્ર બહિર્મુખ ગ્લેમર બની રહે છે.

સાચું આદિવાસીપણું એ છે કે જ્યારે એક બાળક ઘરમાંથી પોતાના વડીલોના આદર્શો, જીવનશૈલી અને ભાષા શીખે છે. જ્યારે તેને સમજ પડે કે ખેતી કેવી રીતે કરવામાં આવે છે, વનમાં જીવવાનું શિસ્તભર્યું જીવન શું હોય છે, અને સમાજ માટે કેવી રીતે એકતાથી કાર્ય કરવું. આ બધું જ ઘરે થી શરૂ થાય છે. માતા-પિતા જ્યારે પોતાના બાળકોમાં સંસ્કૃતિનું બીજ વાવે છે, ત્યારે જ આદિવાસી જીવન પધ્ધતિ યથાર્થમાં આગળ વધે છે.

અહીં ભારપૂર્વક કહેવુ રહ્યું છે કે આદિવાસી હોવું કોઈ costume-party-style lifestyle નથી. તે દરેક દિનચર્યા, વ્યવહાર અને વિચારશૈલીમાં દેખાવું જોઈએ. જેમ કે શિષ્ટાચાર, મહેમાનગતિ, સામૂહિક કૃષિ અને ખાણીપીણીમાં જુદાઈ હોય છે – એ જ આદિવાસી સમાજની ઓળખ છે. દુઃખદ વાત એ છે કે આજે ઘણા લોકો આદિવાસી તરીકે ઓળખાવા માત્ર ફેશનમેળા, સામાજિક કાર્યક્રમો કે રાજકીય લાભ માટે કરે છે. એ લોકોએ કદી ખરેખર વનમાં રહીને જીવન ન જોયું હોય, પણ એના પોશાક પહેરીને ફોટા અપલોડ કરે છે.

આવું દેખાવ માત્ર અસ્તિત્વ માટે જોખમરૂપ છે. એથી સાચા આદિવાસી જૂથોની ઓળખ ધૂંધળી થવા લાગે છે. આવી સ્થિતિમાં, જરૂરી છે કે આપણે પોતાની સંસ્કૃતિને ઘરેથી જ જીવવાનું શરૂ કરીએ. આપણા બાળકોને નાનપણથી પોતાની ભાષા, લોકકથા, પરંપરા, નૃત્ય, તહેવાર અને રહેણીકે વિષે ગૌરવની લાગણી આપીએ. તેમને કહેવું પડે નહીં કે “આપણે આદિવાસી છીએ”, પરંતુ તેમના વર્તનમાં એ દેખાવું જોઈએ.

વિચારો કે કોઈ બાળક જ્યારે કંડનું દાણું ખાઈને કહે છે કે “આ તો આપણી માવતરી વાનગી છે”, કે જ્યારે તે મોટીમાં શામળા રાગે નાચે છે, ત્યારે એમાં જે ભાવ હોય છે એ દેખાવ કરતાં ઘણો ઊંડો અને સાચો હોય છે. એ છે મૂળ આદિવાસી હોવું.

આ સાથે સમાજે પણ સમજવું જોઈએ કે આદિવાસી હોવો એ કોઇ આધુનિક શોખ નથી, એ એક ઓળખ છે, એક સંસ્કૃતિ છે – જેને કારણે આ લોકો પીડા હોવા છતાં પણ સ્વાભિમાન સાથે જીવે છે. જો આપણે પોતે ઘરમાં આ દિશામાં પ્રયત્ન ન કરીએ તો માત્ર ફોટા કે reel મૂકવાથી એ ઓળખ સાચી નહિ બचे.

તેથી આપણે સૌએમલીl જણાય તેમ નહિ, પણ જીવાય તેમ આદિવાસી બનવું પડશે. ઘરમાંથી શરૂ કરીને સમાજ સુધી, જીવનના દરેક ક્ષેત્રમાં આદિવાસી સંસ્કૃતિને સ્થાન આપવું પડશે. કારણ કે આદિવાસી હોવું એ આપમેળે મળતી ઓળખ નથી, તે જીવવાની પણ જવાબદારી છે – પોતાની જાત સામે, અને પોતાની પેઢી સામે પણ.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વેલેન્ટાઈન ડે : પ્રેમનો અર્થ ફક્ત રોમાંચ નહીં, પરંતુ ત્યાગ અને સમર્પણ

विश्व आत्महत्या निवारण दिवस पर, आइए हम अपने जीवन और दूसरों के जीवन को प्रेम, सेवा और मुस्कान से भर दें।- आसिषभाई व्यास

વલસાડ જિલ્લામાં કિશોર વયના વિદ્યાર્થીઓનાં આપઘાતનો સંકટ: જવાબદાર કોણ ?

પ્રફુલભાઈ શુક્લની કેનેડા કથાયાત્રા સંપન્ન: વિદેશી ધરતી પર સનાતન ધર્મના જયઘોષ સાથે સમગ્ર યાત્રા સમાપ્ત !

આજના યુવાનોમાં ઊંડાવી પડતી સામાજિક સમસ્યાઓ: આપઘાત જેવી ઘટનાઓની પૃષ્ઠભૂમિમાં એક વિચારોનું વિશ્લેષણ

રેઇનબો વોરિયર્સ ધરમપુરના સ્થાપના દિવસે 55મો રક્તદાન કેમ્પ યોજાયો: 61 યુનિટ રક્તસંગ્રહ સાથે સમાજસેવાનો અનોખો ઉદ્દેશ સાકાર !

error: Content is protected !!