રામપરા બેટીમાં બંધાયેલી સંજીવની સોસાયટીમાં જેમનો ગૃહપ્રવેશ થયો

On: May 18, 2022 9:19 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

તે બેન અમારા ઘર તો બની ગયા. પણ મોટા માણસો જે રીતે ઘરનું વાસ્તુ રાખે, પૂજા વિધી કરે એવું અમારા ઘરમાં નો થાય? દુઃખમાં ભગવાન, માતાજીને સૌ યાદ કરે પણ સુખમાં યાદ રાખવા એ ખરુ કહેવાય..

રામપરા બેટીમાં બંધાયેલી સંજીવની સોસાયટીમાં જેમનો ગૃહપ્રવેશ થયો એ પરિવારોમાંના રાધાબહેન અને અન્ય બહેનોએ આ વાત કહી ને અમે એમની ઈચ્છા પ્રમાણે કળશ પૂજન અને યજ્ઞ કરીને તેમનો ગૃહપ્રવેશ કરાવવાનું કર્યું..

આ પ્રકારના યજ્ઞમાં આ પરિવારો પહેલીવાર બેઠા. જમણો હાથ શુભકાર્યમાં વાપરવો એય એમને ખબર નહીં… પણ આખી પૂજા વિધી જોવાનો લાહ્વો અનોખો હતો.

વસાહતમાં રહેતી ધની બહુ વહાલી લાગે એવી દીકરી.. એની ફોઈએ કોણી સુધીનો હાથ બતાવીને કહ્યું કે આવડી હતી ત્યારે એના મા-બાપ ગુજરી ગયા. પછી અમે ત્રણ ફોઈઓએ જ ધનીને મોટી કરી.
મને પછી સમજાયું કે મા-બાપ ગયા ત્યારે એ દોઢ મહિનાની હતી. આ ધનીનું પોતાનું ઘર નહીં પણ એની ત્રણે ફોઈ ને ફોઈના દીકરા, દીકરી ને વહુઓ ધની પર ચાર હાથ રાખે. એય છેય એવી મજાની… એને લઈને એની ફોઈ આવ્યા ને મારાઘરનો કળશ આ ધની ઉપાડશેનું કહ્યું. ધનીએ કહ્યું દીદી મારી સાથે સરસ ફોટો લો..તમે મને બહુ ગમો છો. નાની હોત ને તો તમારી હારે જ આવતી રેત.. આવી ધની ને ધની જેવી અન્ય દીકરીઓએ કળશ ઉપાડ્યા ને 65 ઘરોમાં મુક્યા અને ભગવાન બરકત આપે એવી પ્રાર્થના પણ કરી.

આદરણીય ક્રિષ્ણકાંત મહેતા અને ડો.ઈન્દિરા મહેતાએ સંજીવની સોસાયટીના નિર્માણમાં મહત્તમ મદદ કરી. તેમના દીકરાના નામે જ આ સોસાયટીનું નિર્માણ થયું. એમની સાથે રાધાબહેન અને વસાહતના અન્યોની લાગણી મુકી ને એમણે તુરત યજ્ઞ માટે અને એ સિવાય આ પરિવારોના ગૃહપ્રવેશ માટે જે પણ ખર્ચ કરવો પડે તે કરવાની મંજૂરી આપી.
યજ્ઞ પછી 700 માણસોના જમણવારનો ખર્ચ રાજકોટના કોર્પોરેટર બાબુભાઈ ઉધરેજાએ ઉપાડ્યો.. ને એ વ્યવસ્થા ગોઠવી આપે આદરણીય ભગવાનકાકા પંચાલ ને ઉદયભાઈ કાંગડે…આપ સૌની આભારી..
રાજકોટ ગાયત્રી પરિવારનો આભાર.. પ્રજ્ઞેશભાઈ સાથે એમણે સરસ વ્યવસ્થા ગોઠવી…સુંદર પૂજાકરાવી..

પોતાના ઘરનો હરખ જુદો હોય. સૌ સવારથી સરસ તૈયાર થયેલા…

કુદરત આ પરિવારોને બરકત આપે તેવી પ્રાર્થના..

રામપરા બેટી સંજીવની સોસાયટીના નિર્માણમાં મદદ કરનાર સૌ પ્રિયજનોનો આભાર…

#MittalPatel #vssm

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

માત્ર પ્રેમ જ નહીં, સ્વાસ્થ્યનો ખજાનો પણ છે ‘Kiss’: જાણો તેના 8 આશ્ચર્યજનક ફાયદા

ધોડિયા પટેલ સમાજ માટે મહત્વપૂર્ણ પહેલરૂપે વર્ષ ૨૦૨૬માં પ્રથમ વખત વિધવા–વિધુર, ત્યક્તા તેમજ છૂટાછેડાથી વિખૂટા થયેલ પાત્રો માટે સ્નેહમિલન

વલસાડના વાંકલમાં ૪૦માં મહાશિવરાત્રિ મહોત્સવ, પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં ૩૧ ફુટ રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ

સુખાલા સાંઈ ધામ ગાર્ડનમાં પૂ. શરદભાઈ વ્યાસ (દાદા)ની પ્રેરણાથી સમભાવ સત્સંગ પરિવાર દ્વારા ૫૧ દીકરીઓનો ૧૨મો સમૂહ લગ્ન મહોત્સવ સમરસતા, સેવા અને સંસ્કારના સંદેશ સાથે ભવ્ય રીતે યોજાયો

શિવ મહાપુરાણ માત્ર પૌરાણિક કથાઓનો સંગ્રહ નથી, પરંતુ માનવજીવનને ઉત્તમ માર્ગ પર દોરી જનાર ભક્તિના પાયલટ તત્ત્વોનો જીવંત સંદેશ છે : ભૂદેવશ્રી જયેશભાઈ જોષી (બાપુજી)

ભાદરવી પૂનમના પાવન દિવસે ઉનાઈ માતા મંદિરે પ્રફુલભાઈ શુક્લાના હસ્તે ધ્વજારોહણ !

error: Content is protected !!