બાળ દિવસ ખુબજ પવિત્ર છે. આ દિવસે બાળકોમાં ખુશી વહેંચવામાં આવે એ મોટામાં મોટું કર્તવ્ય છે : કપિલ સ્વામી

On: December 26, 2022 7:48 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કપરાડાના મોટાપોઢા ગાંધી આશ્રમમાં બાળકોએ વિવિધ પ્રવૃતિઓ કરી બાળ દિવસની ઉજવણી કરી

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટાપોઢા ગાંધી આશ્રમમાં અભ્યાસ કરતા બાળકોએ ( ચિલ્ડ્રન ડેની ) બાળ દિવસની અનોખી રીતે ગુજરાત રાષ્ટ્રીય સંરક્ષક અને ઈન્ટર નેશનલ પ્રચારક કપિલ સ્વામીના માર્ગદર્શન સેલ્યુટ ત્રિરંગાની ટીમ ઉદ્યોગપતી અરુણભાઈ ભંડારી , પ્રમુખ રેખાબેન ભંડારી ઇનર વ્હીલ કલબ ઓફ વાપી , રીટા મિસ્ત્રી પ્રમુખ લાયન્સ કલબ ઉદ્યોગનગર વાપી , વિજ્ઞાન સ્વામી દ્વારા બાળ દિવસની ઉજવણી કરવામાં હતી.

ભારતમાં દર વર્ષે 14 નવેમ્બરના રોજ બાળ દિવસ મનાવવામાં આવે છે. બાળકોના અધિકારો અને તેમના શિક્ષણ વિશે જાગૃતિ વધારવા માટે આ દિવસ મનાવવામાં આવે છે.

કપિલ સ્વામીએ જણાવ્યું કે બાળ દિવસ ખુબજ પવિત્ર છે. આ દિવસે બાળકોમાં ખુશી વહેંચવામાં આવે એ મોટામાં મોટું કર્તવ્ય છે.” પરશ પર દેવો ભવ ” શહેરના અને આદિવાસી વિસ્તારના બાળકો આજે ભેગા મળીને શિક્ષણ ના સાધનો ઠંડા પીણા આપી શુભેચ્છાઓ પાઠવી હતી.ભારતીય સારા સંસ્કાર અને શિક્ષણ મળે ભવિષ્યમાં બાળકો શિક્ષણમાં આગળ વધે એવા આશીર્વાદ આપ્યા હતા.

બાળ દિવસ ઉજવણી સાથે ઇનર વ્હીલ કલબ ઓફ વાપી , લાયન્સ કલબ ઉદ્યોગનગર વાપી દ્વારા નોટબુક કંપાસ ચિત્રકામ હરીફાઈ, સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. અંજના જોશી સર્વ રોગના નિષ્ણાત સેવા આપી હતી. જેમાં મોટાપોઢા ગાંધી આશ્રમમાં 200 થી વધુ બાળકોને દાંત અને આંખોની અને ડાયાબિટીસના દર્દીઓને તપાસ કરવામાં આવી હતી. મફતમાં ચશ્માં આપવામાં આવ્યા હતા.આદિવાસી બાલકો માટે છાત્રાલયના મકાન માટે સિમેન્ટ નું યોગદાન આપ્યું હતું.તમામ બાળકોને ભોજન આપવામાં આવ્યું હતું.

ગાંધી આશ્રમ મોટાપોઢા, સ્વામિનારાયણ સંકુલ સલવાવના શિક્ષક મિત્રો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા પ્રસનીય કામગીરી કરવામાં આવી હતી.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

કપરાડા નવી મામલતદાર તથા સબ-રજીસ્ટ્રાર કચેરીનું ખાતમુહૂર્ત – રૂ. ૧૧ કરોડના વિકાસ કાર્યથી તાલુકાને નવી દિશા : ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી

વલસાડના વાંકલમાં ૪૦માં મહાશિવરાત્રિ મહોત્સવ, પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં ૩૧ ફુટ રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ

સુખાલા સાંઈ ધામ ગાર્ડનમાં પૂ. શરદભાઈ વ્યાસ (દાદા)ની પ્રેરણાથી સમભાવ સત્સંગ પરિવાર દ્વારા ૫૧ દીકરીઓનો ૧૨મો સમૂહ લગ્ન મહોત્સવ સમરસતા, સેવા અને સંસ્કારના સંદેશ સાથે ભવ્ય રીતે યોજાયો

શિવ મહાપુરાણ માત્ર પૌરાણિક કથાઓનો સંગ્રહ નથી, પરંતુ માનવજીવનને ઉત્તમ માર્ગ પર દોરી જનાર ભક્તિના પાયલટ તત્ત્વોનો જીવંત સંદેશ છે : ભૂદેવશ્રી જયેશભાઈ જોષી (બાપુજી)

ભાદરવી પૂનમના પાવન દિવસે ઉનાઈ માતા મંદિરે પ્રફુલભાઈ શુક્લાના હસ્તે ધ્વજારોહણ !

જગત જનની – હે જંગદંબા તારોજ એક આધાર – પ્રફુલભાઈ શુકલ

error: Content is protected !!