
કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લ ની ભાગવત કથામાં આજે શ્રી હિંગળાજ માતાજી ના મંદિર માટે ૫૧ લાખ દાન જાહેર થયું.
સુરતમાં ઉત્તર ગુજરાત બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળ દ્વારા આયોજીત પ્રફુલભાઈ શુકલની ભાગવત કથામાં આજે પાંચમા દિવસે શ્રી સુમિત્રાબેન અને ડાહ્યાભાઈ દુબ્બલ તરફથી શ્રી હિંગળાજ માતાજી ના મંદિર માટે રૂ.૫૧ લાખ નું દાન જાહેર થયું હતું.સાથે આજે કથામાં ગોવર્ધન પૂજા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.આજે કથામાં કથાકાર શ્રી મુકેશભાઈ ઓઝા , કથાકાર શ્રી મનીષભાઈ મહારાજ , શ્રી નંદુભાઈ કાંજાણી (જે.પી.બિસ્કિટ નવસારી) , શ્રી કેતનનભાઈ વડારીયા ની પધરામણી થઈ હતી.આવતીકાલે કથામાં રૂક્ષ્મણી વિવાહ ઉત્સવ ઉજવવમાં આવશે. શ્રીમતી ભારતીબેન અરવિંદભાઈ ધેડિયા વરપક્ષે રહી ભગવાન કૃષ્ણ ની જાન લઈ પધારશે. શ્રીમતી કુસુમબેન શશીકાંત સોનેજી રૂક્ષ્મણીપક્ષે રહી કન્યાદાન કરશે.શ્રીમતી વર્ષાબેન અતુલભાઈ કિરી દ્વારા મોસાળું ભરાશે.ઊત્તર ગુજરાત બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળ દ્વારા આ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.જેનો સુરત પ્રદેશ ની જનતા લાભ લઇ રહી છે.






