
સ્પર્શ સંસ્થા અને – આશ્રય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વલસાડ જિલ્લાના કપરાડા અને પારડી તાલુકામાં ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે.


આ પ્રવૃત્તિઓને નિહાળવા માટે અને ગ્રામકક્ષાની તાલીમ માટે સાત દિવસીય એનએસએસ કેમ્પ લઈને આશ્રય ચેરીટેબલના ટ્રસ્ટી મોહનભાઈ ના માધ્યમથી લોકભારતી સણોસરા ભાવનગર ના 70 વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકો સાથે સાત દિવસની એનએસએસ શિબિર લઈને કપરાડાના ટેટબારી મુકામે આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં દાબખલ ખાતે તેનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું હતું. જેમાં કપરાડા તાલુકાના મામલતદાર શ્રી દ્વારા આ શિબિરનું ઉદઘાટન કરવામાં આવ્યું. જેમાં આશરે ચેરીટેબલ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટી સર્વોદય પરિવાર ટ્રસ્ટ માંથી રણજીતભાઈ બારટ. જશોદાનગરતમ ચેરીટેબલ ટ્રસ્ટ માંથી દિગનભાઇ મહેતા હાજર રહ્યા હતા.
Ad….










