
દમણમાં ગોકુલધામ સોસાયટીમાં એક ફ્લેટમાં યુવકની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા દમણ પોલીસ દોડતી થઈ હતી. મૃતકના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યાં છે. ઘરમાં પતિની લાશ પડી હોવા છતાં પત્ની ઘરમાં રહેતી હતી. જોકે, દુર્ગંધ મારતા પડોશીઓએ પોલીસને જાણ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

વલસાડ જિલ્લાની પાસે આવેલા સંઘ પ્રદેશ દમણનાં ખારીવાડ વિસ્તારમાં આવેલા ગોકુલધામ સોસાયટીમાં એક ફ્લેટમાં બેનરજી પરિવાર રહે છે. ગતરાત્રીએ પાડોશીઓને બેનરજી પરિવારના ફ્લેટમાંથી દુર્ગંધ આવવા લાગી હતી. જેને લઈને પાડોશીઓ તાત્કાલિક દમણ પોલીસને ઘટનાની જાણ કરી હતી.દમણ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચતા ત્યાં 30 થી 35 વર્ષનાં ઇસમની હત્યા થયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેથી પોલીસે લાશનો કબ્જો મેળવીને દમણની કરવાડ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. પોલીસે બેનરજી પરિવારના સભ્યોના નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ આજુબાજુનાં વિસ્તારમાં થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
AD….










