વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી એવા ધરમપુર તાલુકામાં યોગ ભગાવે રોગ ઉક્તિને સાર્થક કરવા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

સજનીબરડા ગામની થોરાટ ફળિયા વર્ગશાળામાં બાલવાટિકાથી ધો. ૧ થી ૮માં અભ્યાસ કરતા ૧૪૩ બાળકોને શાળાના મુખ્ય શિક્ષક ચેતનભાઈ ડી. પટેલના માર્ગદર્શનમાં ૫ શિક્ષકો દ્વારા યોગ વિદ્યાના પાઠ ભણાવવામાં આવ્યા હતા. આ શાળામાં યોગા ડે નો સંદેશ આપતી વિદ્યાર્થીઓની માનવ આકૃતિ બનાવવામાં આવી હતી. જેને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આદિવાસી વિસ્તારમાં પણ યોગની ઉજવણી સાર્થક રહી હતી.
Ad..









