મોરબીમાં પ૧ કન્યાઓનો સમુહ લગ્નોત્સવ ભવ્ય આયોજન

On: December 6, 2021 10:56 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ, પી.જી. પટેલ કોલેજ અને વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી, શ્રીરામ યોગ કેન્દ્ર દ્વારા પ૧ દીકરીઓ માટે છઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું આયોજન

મોરબી શહેરમાં અનેક વિવિધ સેવા કાર્યો કરતી પી.જી.પટેલ કોલેજ અને વાત્સલ્ય એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી, શ્રીરામ યોગ કેન્દ્ર દ્વારા છેલ્લા ૧ર વર્ષથી ગંગાસ્વરૂપ બહેનોને દર મહિને અનાજ, કપડાઓ, દવાઓ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ નું વિતરણ કરવામાં આવે છે. આ સંસ્થાઓ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નના આયોજન પણ કરાય છે.

આ વર્ષે પણ ગંગા સ્વરૂપ સહાય સમિતિ, પી.જી.પટેલ કોલેજ અને વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી, શ્રીરામ યોગ કેન્દ્ર દ્વારા પ૧ દીકરીઓ માટે મોરબી ખાતે આયોજીત છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ તારીખ ૧૭/૦ર/ર૦ર૨ને ગુરુવારના રોજ આયોજન કરવામાં આવે, છે. આ લગ્નોત્સવ માં વિધવા, વિધુર કે કોરોના મહામારીમાં દિવંગત થયેલ માતા-પિતાના સંતાનોની પ્રથમ પસંદગી કરવામાં આવશે ત્યારે બાદ વંચિત જાતિ અને આર્થિક પછાત હોય તેવા પરિવારની દીકરીનો સમાવેશ કરવામાં આવશે.

આ છઠ્ઠા સમૂહ લગ્નોત્સવ માં જોડાવવા ઇચ્છતા હોય તેવા પરિવારજનો જેમની દીકરીની ઉમર ૧૮ વર્ષ પૂર્ણ અને દીકરાની ર૧ વર્ષ પૂર્ણ થયેલ હોય તેના ર(બે) ફોટા, ઓરીજનલ જન્મ પ્રમાણપત્ર સાથે વાત્સલ્ય ટ્રસ્ટ ઓફીસ, ડૉ. પરેશ પારીઆ, પ્રાગટય કિ્‌લનિક, આંબેડકર કોલોની, રોહિદાસ પરા મેઈન રોડ, રેલ્વે સ્ટેશન પાસે, મોરબી, મોબાઈલ નંબર – ૮૭૩ર૯ ૧૮૧૮૩ નો સંપર્ક કરી સવારે ૧૦ થી ૧ અને સાંજે ૪ થી ૮ સુધીમાં ફૉર્મ મેળવી લઇ તારીખ ૧૭/૦૧/ર૦રર સુધીમાં જરૂરી તમામ કાગળો સાથે જમા કરાવવાના રહશે…

આ છઠ્ઠા સમૂહ લગ્નોત્સવ માં આયોજક તરીકે સેવા કરવા માંગતા યુવાન મિત્રો પણ ડૉ. પરેશ પારીઆનો સંપર્ક કરી શકે છે. તેમજ ગંગા સ્વરૂપ સહાય સમિતિના શ્રી દેવકરણભાઈ આદ્રોજા, શ્રી ચંદ્રકાંતભાઈ દફતરી અને ટી.સી.ફુલતરીયા સાહેબએ દાતાશ્રીઓને તેમના નંબર પર અથવા ૯૮રપર ર૩૧૯૯ ઉપર સંપર્ક કરવા વિનંતી કરેલ છે.

અમોને આપે, અમૂ૯ય દાન ભારત સરકારના આયકર અધિનીયમ, ૧૯૬૧ની કલમ ૮૦જી(પ) હેઠળ કરમુકત છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વલસાડના વાંકલમાં ૪૦માં મહાશિવરાત્રિ મહોત્સવ, પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં ૩૧ ફુટ રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ

સુખાલા સાંઈ ધામ ગાર્ડનમાં પૂ. શરદભાઈ વ્યાસ (દાદા)ની પ્રેરણાથી સમભાવ સત્સંગ પરિવાર દ્વારા ૫૧ દીકરીઓનો ૧૨મો સમૂહ લગ્ન મહોત્સવ સમરસતા, સેવા અને સંસ્કારના સંદેશ સાથે ભવ્ય રીતે યોજાયો

શિવ મહાપુરાણ માત્ર પૌરાણિક કથાઓનો સંગ્રહ નથી, પરંતુ માનવજીવનને ઉત્તમ માર્ગ પર દોરી જનાર ભક્તિના પાયલટ તત્ત્વોનો જીવંત સંદેશ છે : ભૂદેવશ્રી જયેશભાઈ જોષી (બાપુજી)

ભાદરવી પૂનમના પાવન દિવસે ઉનાઈ માતા મંદિરે પ્રફુલભાઈ શુક્લાના હસ્તે ધ્વજારોહણ !

જગત જનની – હે જંગદંબા તારોજ એક આધાર – પ્રફુલભાઈ શુકલ

આહીર યુથ ફોર્સ દ્વારા ભવ્ય ગણેશ વિસર્જન યાત્રા – કથાકાર પ્રફુલભાઈ શુક્લાના આશીર્વાદ !

error: Content is protected !!