રાબડામાં કથાકાર શ્રી પ્રફુલભાઈ શુકલ ના કથાશ્રેત્ર ના 47 મી વર્ષગાંઠ ની ઉજવણી કરવામા આવી

On: December 12, 2021 5:30 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

14 વર્ષની ઉંમરથી કથાનો આરંભ કરનારા ગુજરાતના સુપ્રસિધ્ધ કથાકાર પ્રફુલભાઈ શુકલ એ 12/12/74 ના રોજ ખેરગામ રામજી મંદિરે પ્રથમ કથા કરી હતી. ત્યારથી દેશ – વિદેશમાં 815 કથા કરનારા પૂ.બાપુનો 47 વર્ષનો કથા મહોત્સવ આજ રોજ રાબડા સાઈ ધામમાં પી.બી.એન.જોષી સાહેબ ની અધ્યક્ષતા મા ઉજવવામાં આવ્યો.સવારે 9-30 થી 11- 30 સુધી આ કાર્યક્રમમાં પૂ.બાપુ ના રાબડા ગામના ભક્તો , દક્ષિણ ગુજરાતના આગેવાનો , સંતો-મહંતો , ભૂદેવો દ્વારા બાપુ ને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન તેમજ બાપુના કથાક્ષેત્ર ની કારકિર્દી ની ૪૭ મી વર્ષગાંઠ ની પ્રથમ ઉજવણી યુવા કથાકાર શ્રી કિશનભાઈ દવે દ્વારા કરવામાં આવી હતી.

આ પ્રસંગે નટવરસિંહજી સોલંકી(સાદક પોર), અશોકસિંહ સોલંકી(બોરીગામ),ગીતા બેન પટેલ (રાબડા),અશ્વિન ભાઈ ભટ્ટ(કિલ્લા પારડી),જગુ ભાઈ પટેલ(સુખેશ),ઈશ્વરભાઈ પટેલ (પારનેરા) ઉપસ્થિત રહી બાપુને શુભકામના પાઠવી હતી.

આ પ્રસંગે કથાકાર શ્રી ભાસ્કરભાઈ દવે , ધર્મેશભાઈ પી. જાની , વિપુલભાઇ દવે , કૃષ્ણ શુક્લ , વિષ્ણુ જાની , માક્ષિત રાજ્યગુરૂ દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.આશીર્વચન આપતા કથાકાર પ્રફુલભાઈ શુકલ એ કહ્યું હતું કે “બજરંગદાસ બાપા ની કૃપા થી, માં બાપ ના આશીર્વાદ થી તેમજ કથા શ્રવણ કરનારા ભાવિક શ્રોતા થી આજે 47 વર્ષ કથા ક્ષેત્ર ના પરિપૂર્ણ થયા છે. હરિ અનંત છે હરિ ની કથા અનંત છે, જ્યા સુધી હરિ ની ઈચ્છા હશે ત્યાં સુધી ભગવાન ની કથા અને ગુણ ગાન કરીશ. આ પ્રસંગે રાબડા સાઈધામ દ્વારા પૂ.બાપુ ના કથા ક્ષેત્ર ના 50 મા વર્ષ ની ઉજવણી ની પણ ઈચ્છા દર્શાવી હતી.અંત મા મહાપ્રસાદ લઈ કાર્યક્રમ સંપન્ન કરવામા આવ્યો હતો.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વલસાડના વાંકલમાં ૪૦માં મહાશિવરાત્રિ મહોત્સવ, પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં ૩૧ ફુટ રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ

સુખાલા સાંઈ ધામ ગાર્ડનમાં પૂ. શરદભાઈ વ્યાસ (દાદા)ની પ્રેરણાથી સમભાવ સત્સંગ પરિવાર દ્વારા ૫૧ દીકરીઓનો ૧૨મો સમૂહ લગ્ન મહોત્સવ સમરસતા, સેવા અને સંસ્કારના સંદેશ સાથે ભવ્ય રીતે યોજાયો

શિવ મહાપુરાણ માત્ર પૌરાણિક કથાઓનો સંગ્રહ નથી, પરંતુ માનવજીવનને ઉત્તમ માર્ગ પર દોરી જનાર ભક્તિના પાયલટ તત્ત્વોનો જીવંત સંદેશ છે : ભૂદેવશ્રી જયેશભાઈ જોષી (બાપુજી)

ભાદરવી પૂનમના પાવન દિવસે ઉનાઈ માતા મંદિરે પ્રફુલભાઈ શુક્લાના હસ્તે ધ્વજારોહણ !

જગત જનની – હે જંગદંબા તારોજ એક આધાર – પ્રફુલભાઈ શુકલ

આહીર યુથ ફોર્સ દ્વારા ભવ્ય ગણેશ વિસર્જન યાત્રા – કથાકાર પ્રફુલભાઈ શુક્લાના આશીર્વાદ !

error: Content is protected !!