કથાકાર પ્રફુલભાઇ શુક્લ દ્વારા અષાઢી નવરાત્રી અનુષ્ઠાન અંતર્ગત આજે વલસાડ ગીતા સદન માં દેવી ભાગવત કથા નૉ મંગલ આરંભ થયો હતો દીપ પ્રાગટ્ય વલસાડ ના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું હતું મુખ્ય યજમાન અલ્કાબેન તુલસી ભાઇ ઢીમ્મર લુહાર ટેકરા થી પોથીયાત્રા કાઢવામાં આવી હતી સહ વક્તા બાલ કથાકાર યેશુબા બારોટ ની પ્રથમ કથા નૉ આરંભ થયો હતો .
આયોજક લક્ષ્મીબેન બારોટ, શારદાબેન ટંડેલ અને ગીતા બેન પટેલ દ્વારા મેહમાનો નું સ્વાગત કરવામાં આવ્યું હતું હેમાલીબેન ભુપેન્દ્રભાઈ ટંડેલ દ્વારા પ્રથમ નવચંડી યજ્ઞ સંપન્ન થયો હતો કથાના આચાર્ય લલિતભાઈ ઓઝા, હર્ષદભાઈ દવે, અને જયા નંદ મહારાજ દ્વારા મંત્ર ઉચ્ચાર કરવામાં આવ્યા હતાં સંગીતકાર ચંદ્રકાન્ત રાણા, અને દિપક બારોટે mataji ના ગરબાની રમઝટ બોલાવી હતી કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ કહ્યું હતું કે અષાઢી નવરાત્રી માં દેવિભાગવત ની કથા દુર્લભ છે એમણે બાળ કથાકાર યેશુબા બારોટ ને આશીર્વાદ આપ્યા હતાં કૌશિભાઈ બારોટ અને પ્રતીક પટેલ દ્વારા વ્યવસ્થા અને સંચાલન કરવામાં આવ્યું હતું બપોરે 108દીવડા ની મહા આરતી ઉતારવામાં આવી હતી દરરોજ સવારે 7thi 10 નવ ચન્ડી યજ્ઞ અને 10 થી 1 દેવિભાગવત કથા રાખવામાં આવી છે વલસાડ માં પ્રથવાર અષાઢી નવરાત્રી અનુસ્થાન રાખવામાં આવ્યું છે માઈ ભક્તો મોટી સંખ્યામાં ભાગ લઇ રહ્યા છે






