
ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ દ્વારા આજે પારડી તાલુકા ના રોહીણાં ગામે જે 70 થી વધારે આદિવાસી ભાઈઓ દુકાનો ચલાવી પોતાની આજીવિકા જીવતા એમની દુકાનો JCB લાવી ને તોડી નાખવામાં આવશેની તંત્ર દ્વારા માનસિક હેરાન કરવામાં આવી રહ્યા હોય જે બાબતે આદિવાસી દુકાનદાર સાથે ચર્ચાઓ કરવામાં આવી.

સ્થાનિક દુકાનદારો ના જણાવ્યા મુજબ દમંણગંગા નહેર પેટા વિભાગ ન.11 દ્વારા દુકાનો ખાલી કરવા બાબતે નોટિસ આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે ન ખાલી કરશો તો દુકાનો તોડી JCB લાવીને તોડી નાખીસુ મને લાગે છે કે આ દુકાનદારો મહેનત કરીને ફક્ત પોતાની આજીવિકા જીવતા હોય છે સુ આ દુકાનદારો આદિવાસીઓ છે એટલે એમને હેરાન કરી માનસિક ત્રાસ આપવામાં આવે છે તમારે કબ્જોજ ખાલી કરાવવો હોય તો પારડી વિસ્તાર માં બો બધી જગ્યા એ દબાણો હછે ત્યાં ખાલી કરાવજો પછી રોહીણાં આવજો બાકી એક પણ દુકાન ને નુકશાન થયું તો આખો આદિવાસી સમાજ એમની પડખે ઉભી રહછે જેની નોંધ લેવા ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી છે.






