આજનું રાશિફળ, 22 માર્ચ 2026: કન્યા રાશિના જાતકો નાણાકીય બાબતોમાં સાવધાની રાખો, વાંચો રવિવારનું રાશિફળ

આજનું રાશિફળ : આજે 22 માર્ચ, 2026, રવિવાર સાથે ચૈત્ર સુદ ચોથ તિથિ છે. આજે ચંદ્ર રાશિ મેષ છે. આજે ચૈત્ર નવરાત્રિનો ચોથો દિવસ છે. કન્યા રાશિના જાતકો નાણાકીય બાબતોમાં સાવધાની રાખો. ઘરનું વાતાવરણ સામાન્ય રહેશે. ચાલો જાણીએ આજનું રવિવારનું રાશિફળ. આજનું પંચાંગ અને શુભ-અશુભ મુહૂર્ત તારીખઃ 22-3-2026 વારઃ રવિવાર તિથિ : ચૈત્ર, સુદ ચોથ … Read more

કશ્યપભાઈ જાનીની ભાગવત કથામાં માનવ મેહરામણ ઉમટ્યો, પ્રફુલભાઈ શુક્લએ આપ્યો આશીર્વાદ !

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકો ના છેવાડે આવેલા ખટાણા ગામ ખાતે સ્થિત અંબામાતા ધામ માં ચાલી રહેલી યુવા કથાકાર કશ્યપભાઈ જાની ની શ્રીમદ ભાગવત કથામાં આજે ભક્તજનોનો વિશાળ મેહરામણ ઉમટ્યો હતો. ખાસ કરીને આજે વિશ્વવિખ્યાત કથાકાર પ્રફુલભાઈ શુક્લ ની પધરામણી થતાં સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો. કાર્યક્રમ દરમિયાન ભક્તોનો ઉત્સાહ જોવા જેવો હતો અને કથામંડપમાં … Read more

વાપી ખાતે બે દિવસીય “મિલેટ્સ મહોત્સવ–પ્રાકૃતિક ફાર્મર માર્કેટ–૨૦૨૬”નો પ્રારંભ, નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન

વલસાડ જિલ્લામાં આરોગ્યપ્રદ જીવનશૈલી અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પહેલ રૂપે Vapi ખાતે બે દિવસીય “મિલેટ્સ મહોત્સવ–પ્રાકૃતિક ફાર્મર માર્કેટ–૨૦૨૬”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવનો પ્રારંભ રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી Kanubhai Desai ના હસ્તે કરવામાં આવ્યો હતો. તા. ૨૧ અને ૨૨ માર્ચ દરમિયાન યોજાયેલા આ જિલ્લાકક્ષાના … Read more

“જગત જનની જગદંબા અખિલ બ્રહ્માંડ ની અધીસ્ઠાત્રી છે” – પ્રફુલભાઈ શુક્લના શબ્દોથી ખેરગામના જગદંબા ધામમાં ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાન ભક્તિમય બન્યું

ખેરગામ ખાતે ચાલી રહેલા ચૈત્રી નવરાત્રીના પાવન પ્રસંગે આધ્યાત્મિક ભાવના અને ભક્તિમય વાતાવરણ વચ્ચે આજે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ખાસ કરીને પ્રફુલભાઈ શુક્લ દ્વારા વ્યાસપીઠ પરથી ઉચ્ચારાયેલા શબ્દો – “જગત જનની જગદંબા અખિલ બ્રહ્માંડ ની અધીસ્ઠાત્રી છે” – એ સમગ્ર ભક્તસમાજને આધ્યાત્મિક રીતે સ્પર્શી ગયા હતા. આ પ્રવચન જગદંબા ધામ ખાતે ચાલી રહેલા ચૈત્રી … Read more

આદિવાસી યુવાનોને અપીલ: મોંઘી ગાડીઓ અને વૈભવ માટે પોતાની જમીન ન વેચો !

જમીન માત્ર સંપત્તિ નથી, પરંતુ આદિવાસી સમાજની ઓળખ અને ભવિષ્યની સૌથી મોટી સુરક્ષા ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોથી એક ચિંતાજનક પ્રવૃતિ જોવા મળી રહી છે. શિક્ષિત બનેલા અનેક યુવાનો મોંઘી ગાડીઓ, મોંઘા મોબાઇલ અને વૈભવી જીવનશૈલીના લોભમાં પોતાની જ ખેતીની જમીન વેચી નાખવાનો નિર્ણય કરી રહ્યા છે. તાત્કાલિક મળતા પૈસાના લોભમાં લેવામાં આવતો આ … Read more

વલસાડ જિલ્લામાં ૧૦ પીઆઈ અને ૩ પીએસઆઈની અચાનક આંતરિક બદલી : પોલીસ વિભાગમાં ચકચાર, કાયદો-વ્યવસ્થા મજબૂત બનાવવા જિલ્લા પોલીસ વડાનો મોટો નિર્ણય

વલસાડ, તા. ૨૦ : વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા તેમજ વહીવટી કામગીરીને સરળ બનાવવા જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજા દ્વારા મોટાપાયે આંતરિક બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં જિલ્લાના મહત્વના પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા ૧૦ પીઆઈ અને ૩ પીએસઆઈને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ મોકલવામાં આવ્યા છે. આ અચાનક થયેલી આંતરિક બદલીના … Read more

ધરમપુરના ખારવેલ ગામમાં પીએમશ્રી પ્રાથમિક શાળાનો રંગોત્સવ–૨૦૨૬ ધામધૂમથી ઉજવાયો !

ધરમપુર તાલુકાના ખારવેલ ગામ ખાતે આવેલી પીએમશ્રી પ્રાથમિક શાળામાં વાર્ષિક મહોત્સવ તથા ઇનામ વિતરણ સમારંભ ‘રંગોત્સવ–૨૦૨૬’ ઉત્સાહભેર યોજાયો હતો. સમગ્ર ગામમાં શૈક્ષણિક અને સાંસ્કૃતિક વાતાવરણ સર્જતું આ આયોજન વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ અને ગ્રામજનો માટે યાદગાર બની રહ્યું હતું. કાર્યક્રમનું આયોજન ધરમપુર તાલુકાની આ પીએમશ્રી પ્રાથમિક શાળાના પરિસરમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રમુખ તરીકે વાપીના જાણીતા યુવા … Read more

ધગડમાળના પૂર્વ સરપંચ શરદભાઈ ગાંગોડાનું અવસાન, 35 વર્ષ સુધી ગામની સેવા કરનાર નેતાને ભાવભીની વિદાય !

ધગડમાળ ગામના પૂર્વ સરપંચ શરદભાઈ ગાંગોડાનું દુઃખદ અવસાન નાનાપોઢા તાલુકાના ધગડમાળ ગામના પૂર્વ સરપંચ શરદભાઈ ભીખાભાઈ ગાંગોડાનું ટૂંકી માંદગી બાદ દુઃખદ અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. તેમના અવસાનના સમાચાર મળતા જ સમગ્ર ધગડમાળ ગામ સહિત આજુબાજુના વિસ્તારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ગામના વડીલો, યુવાનો તેમજ સગા-સ્નેહીઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ગામ માટે … Read more

ચૈત્ર નવરાત્રિમાં 108 દીવડાનું વિશેષ મહત્વ: કથાકાર પ્રફુલભાઈ શુક્લનો સંદેશ

ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે દેશભરમાં માતાજીની આરાધના સાથે ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ પ્રસંગે પ્રખ્યાત કથાકાર પ્રફુલભાઈ શુક્લ એ 108 દીવડાના પ્રાગટ્યનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું કે 108 આંકડો હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. જપમાળાના 108 મણકા હોય છે, તેમજ યોગ અને ધ્યાનમાં પણ આ આંકડાનું વિશેષ સ્થાન … Read more

કળયુગમાં માનવતા ભૂલાઈ રહી છે? ધર્મના દેખાવ સામે સમાજની વાસ્તવિક જરૂરિયાતો

મંદિરોમાં લાખો ખર્ચ, પરંતુ ગરીબો, શિક્ષણ અને સેવાકાર્યો પ્રત્યે ઉદાસીનતા કળયુગમાં માનવ જીવનની મૂલ્યો અને પ્રાથમિકતાઓ બદલાઈ રહી છે તેવું લાગી રહ્યું છે. આજના સમયમાં લોકો પોતાને ધાર્મિક બતાવવા માટે મોટા મોટા મંદિરો બાંધવામાં અને તેમાં લાખો રૂપિયા ખર્ચવામાં આગળ વધી રહ્યા છે, પરંતુ એ જ સમાજમાં અનેક પરિવારો મૂળભૂત જરૂરિયાતો માટે સંઘર્ષ કરી રહ્યા … Read more

error: Content is protected !!